વાજપાઇ બેન્કેબલ યોજના 2025 – નવો ધંધો શરૂ કરવા ગુજરાત સરકાર 8 લાખ સબસિડી સહાય

વાજપાઇ બેન્કેબલ યોજના 2025 – નવો ધંધો શરૂ કરવા ગુજરાત સરકારની શ્રેષ્ઠ સહાય ગુજરાત સરકાર દ્વારા શિક્ષિત યુવાનો, દિવ્યાંગો અને મહિલાઓને સ્વરોજગારી માટે પ્રોત્સાહિત કરવા આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના Commissioner of Cottage and Rural Industries  હેઠળ લાભાર્થીઓને 8 લાખ રૂપિયા સુધીની લોન અને સબસિડી (રૂ. 60,000 થી રૂ. 1,25,000) આપવામાં આવે છે.

Vajpayee Bankable Yojana Gujarat 2025

વિશેષતામાહિતી
યોજનાનું નામશ્રી વાજપાઇ બેન્કેબલ યોજના 2025
લક્ષ્યાંકનવો ધંધો, સેવા કે ઉદ્યોગ શરૂ કરવા ઇચ્છુક નાગરિકો માટે ધિરાણ સહાય
લોન મર્યાદારૂ. 8 લાખ સુધી
સબસીડી રકમરૂ. 60,000 થી રૂ. 1,25,000 સુધી
અરજી પદ્ધતિOnline – blp.gujarat.gov.in
યોજનાનું વિભાગકુટિર અને ગ્રામોદ્યોગ કમિશનર કચેરી, ગાંધીનગર

વાજપાઇ બેન્કેબલ યોજના 2025 પાત્રતા (Eligibility Criteria Vajpayee Bankable Yojana Gujarat 2025)

  • ગુજરાતના મૂળ નિવાસી હોવા જોઈએ.
  • ઓછામાં ઓછું ધોરણ-4 પાસ હોવું જોઈએ.
  • ઉંમર 18 થી 65 વર્ષ હોવી જોઈએ.
  • 3 મહિનાની તાલીમ અથવા 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
  • અનુસૂચિત જાતિ (SC/ST), મહિલાઓ, દિવ્યાંગો (40%થી વધુ)ને વધુ લાભ.

વાજપાઇ બેન્કેબલ યોજના 2025 જરૂરી દસ્તાવેજો (Documents Required Vajpayee Bankable Yojana Gujarat 2025 )

  • આધાર કાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • શૈક્ષણિક લાયકાત (માર્કશીટ/LC)
  • જાતિ/દિવ્યાંગતા પ્રમાણપત્ર (જો લાગુ પડે)
  • તાલીમ/અનુભવ પ્રમાણપત્ર
  • વ્યવસાયની વિગતો (ભાડાપત્ર, ભાવપત્રક, વગેરે)

વાજપાઇ બેન્કેબલ યોજના 2025 લોન અને સબસિડી વિગતો

ક્ષેત્રલોન મર્યાદાસબસિડી (જનરલ)સબસિડી (SC/ST/દિવ્યાંગ)
ઉદ્યોગ (Industries)8 લાખરૂ. 1,25,000રૂ. 1,25,000
સેવા (Service)8 લાખરૂ. 1,00,000રૂ. 1,00,000
વેપાર (Business)8 લાખરૂ. 60,000રૂ. 80,000

નોંધ: દિવ્યાંગોને કોઈપણ ક્ષેત્રમાં રૂ. 1,25,000 સબસિડી મળશે.

વાજપાઇ બેન્કેબલ યોજના લોન માટે કયા ધંધાઓ માટે સહાય મળે છે?

Shri Vajpayee Bankable Yojana 2025 અંતર્ગત 395 જેટલા વિવિધ પ્રકારના ધંધાઓ માટે લોન ઉપલબ્ધ છે, જેમ કે:

  • એન્જિનિયરિંગ
  • ફૂડ પ્રોસેસિંગ
  • પેપર અને પ્રિન્ટિંગ
  • કેમિકલ અને કોસ્મેટિક્સ
  • પ્લાસ્ટિક અને ટેક્સટાઇલ
  • ડેરી અને ખેતી આધારિત ઉદ્યોગ

વાજપાઇ બેન્કેબલ યોજના 2025 કેવી રીતે અરજી કરવી? (Online Apply Process Vajpayee Bankable Yojana Gujarat 2025)

  1. ઓફિસિયલ વેબસાઇટ: https://blp.gujarat.gov.in/ પર જાઓ.
  1. નવું રજિસ્ટ્રેશન કરો (મોબાઇલ નંબર અને ઇમેઇલ દાખલ કરો).
  1. Citizen Login કરીને “Shri Vajpayee Bankable Yojana” પસંદ કરો.
  2. ફોર્મ ભરો (વ્યક્તિગત માહિતી, વ્યવસાયની વિગતો, લોન રકમ, વગેરે).
  3. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને Submit કરો.
  4. એપ્લિકેશન નંબર નોંધી રાખો.

FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)

કેવી રીતે જાણવું કે કઈ બેંક લોન આપે છે?

ઑફિશિયલ પોર્ટલ પર vajpayee bankable yojana bank list ઉપલબ્ધ છે.

કઈ બેંકોમાંથી લોન મળી શકે?

રાષ્ટ્રીયકૃત બેંકો (SBI, બૅન્ક ઑફ બરોડા), સહકારી બેંકો અને ખાનગી બેંકો (HDFC, ICICI) માંથી લોન મેળવી શકાય છે.

Vajpayee Bankable Yojana માટે લાયકાત શું છે?

આ યોજના માટે અરજી કરવા માટે અરજીકર્તાએ ઓછામાં ઓછું ધોરણ-4 પાસ હોવું આવશ્યક છે.

વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ કેટલી લોન મળે છે?

યોજના હેઠળ લાભાર્થીને રૂ. 8 લાખ સુધીની લોન મળી શકે છે, જેમાંથી નિશ્ચિત મર્યાદા સુધી સરકાર તરફથી મદદરૂપ સબસિડી પણ મળે છે.

Vajpayee Bankable Yojana ની સહાય કોને મળે છે?

રાજ્યના એવા નાગરિકોને સહાય મળે છે જે પાત્ર હોય અને પોતાનો નવો વ્યવસાય કે ધંધો શરૂ કરવા માંગતા હોય.

Leave a Comment