પીએમ વિશ્વકર્મા યોજના: ગેરંટી વિના 3 લાખ રૂપિયાની લોન, ફક્ત 5% વ્યાજ ચૂકવવું પડશે; લાભ મેળવવા માટે સંપૂર્ણ પ્રક્રિયા જાણો રોજગાર માટે મફત કૌશલ્ય તાલીમ અને સસ્તા વ્યાજ દરે લોન આપવામાં આવે છે. આમાં, તાલીમ દરમિયાન દરરોજ 500 રૂપિયા આપવામાં આવે છે. ઉપરાંત, ટૂલ કીટ ખરીદવા માટે બેંક ટ્રાન્સફર દ્વારા ૧૫,૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. આ યોજના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) દ્વારા ચલાવવામાં આવે છે. PM Vishwakarma Yojana 2025
પીએમ વિશ્વકર્મા યોજનાના મુખ્ય લાભો: PM Vishwakarma Yojana 2025
- 3 લાખ રૂપિયા સુધીની લોન:
- ₹15,000 ટૂલ કીટ સહાય: વ્યવસાયમાં ઉપયોગી ટૂલ કીટ માટે સહાય મળી રહેશે.
- કોઈ ગેરંટી વગર લોન મળશે.
- 5% ની સબસિડીયરી વ્યાજદરે લોન મળશે.
- પ્રથમ તબક્કામાં ₹1 લાખ (18 મહિના માટે) અને બીજા તબક્કામાં ₹2 લાખ (30 મહિના માટે).
મફત કૌશલ્ય તાલીમ:
- સરકાર દ્વારા વ્યવસાયને વધુ વિકસાવવા માટે તાલીમ આપવામાં આવશે.
- તાલીમ દરમિયાન દરરોજ ₹500 સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.
પીએમ વિશ્વકર્મા યોજના18 પરંપરાગત કારીગરો માટે છે:
- સુથાર (વુડ વર્ક)
- હોડી બનાવનારા
- લુહાર
- તાળા બનાવનારા
- સુવર્ણકાર
- શિલ્પકાર
- કડિયાઓ
- માછીમારો
- ધોબી
- દરજી
- વાળંદ (નાપિત)
- રમકડાં બનાવનારા
- કુંભાર
- જૂતા બનાવનારા
- ટોપલી/સાદડી/સાવરણી બનાવનારા
પીએમ વિશ્વકર્મા યોજનાપાત્રતા કોનાં માટે છે?
- અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
- પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલ હોવું જોઈએ.
- અરજદાર અન્ય કોઈ સરકારી લોન યોજના (PMEGP, PM SVANidhi, Mudra Loan) ના લાભાર્થી ન હોવો જોઈએ.
- સરકારી કર્મચારીઓ અને તેમના કુટુંબના સભ્યો માટે આ યોજના ઉપલબ્ધ નથી.
પીએમ વિશ્વકર્મા યોજના અરજી કરવાની પ્રક્રિયા:
- અધિકૃત વેબસાઇટ પર જાઓ – pmvishwakarma.gov.in
- રજિસ્ટ્રેશન કરો અને જરૂરી વિગતો ભરવી.
- આધાર કાર્ડ વેરિફિકેશન અને ઈ-કેવાયસી કરો.
- નજીકના CSC સેન્ટર (Common Service Center) પર જઈ ચકાસણી કરાવો.
- મંજૂરી મળ્યા બાદ ડિજિટલ ઓળખ કાર્ડ અને પ્રમાણપત્ર ડાઉનલોડ કરો.
- લોન માટે અરજી કરો.