પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના: ધંધો કરવા માટે મળશે 10 લાખ સુધીની લોન, આ રીતે આવેદન કરો

PM Mudra Loan Yojana: ભારત સરકારે ‘આત્મનિર્ભર ભારત’ની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જેમાં નાના અને સૂક્ષ્મ વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે મુદ્રા લોન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના ખાસ કરીને નવા વ્યવસાય શરૂ કરવા ઇચ્છુક લોકો, સ્વરોજગારી અને નાના ઉદ્યોગોને નાણાકીય સહાય પૂરી પાડે છે. આ લેખમાં આપણે મુદ્રા લોન યોજના વિશે વિગતવાર જાણકારી મેળવીશું.

મુદ્રા લોન યોજના શું છે?

મુદ્રા લોન યોજના એ પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ ચાલતી એક નાણાકીય સહાય યોજના છે, જે માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી (Mudra) દ્વારા સંચાલિત છે. આ યોજના 2015 માં શરૂ કરવામાં આવી હતી. 2024 સુધી માં 44.46 crore ની લોન આપવામાં આવી છે.

આ યોજના હેઠળ, INR 10 લાખ સુધીની લોન નાના અને સૂક્ષ્મ વ્યવસાયો માટે ઉપલબ્ધ છે. આ લોન શિશુ લોનકિશોર લોન અને તરુણ લોન એમ ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવેલ છે.

મુદ્રા લોનના પ્રકાર

શિશુ મુદ્રા લોન:

  • લોન રકમ: INR 50,000 સુધી
  • લક્ષ્ય: નાના પાયે વ્યવસાય શરૂ કરવા માટે, જેમ કે મશીનરી ખરીદવી, સાધનસામગ્રી ખરીદવી અથવા ઓપરેશનલ ખર્ચ માટે.
  • લાભ: કોઈ કોલેટરલ જરૂરી નથી, શૂન્ય પ્રોસેસિંગ ફી અને 7 વર્ષ સુધીની ચુકવણી મુદત.

કિશોર મુદ્રા લોન:

  • લોન રકમ: INR 50,000 થી INR 5 લાખ
  • લક્ષ્ય: વ્યવસાયને વિસ્તારવા માટે, જેમ કે મશીનરી ખરીદવી, વાહનો ખરીદવા અથવા કામકાજની જરૂરિયાતો પૂરી કરવા.
  • લાભ: સ્થાનિક દુકાનદારો, સલૂન, ફાર્માસિસ્ટ, ટેલરિંગ શોપ્સ જેવા વ્યવસાયો માટે યોગ્ય.

તરુણ લોન:

  • લોન રકમ: INR 5 લાખ થી INR 10 લાખ
  • લક્ષ્ય: સ્થાપિત વ્યવસાયોને વિસ્તારવા માટે, જેમ કે ઓફિસનું વિસ્તરણ, નવી મશીનરી ખરીદવી અથવા ઓપરેશનલ ખર્ચ માટે.
  • લાભ: 3 થી 5 વર્ષની ચુકવણી મુદત અને વધુ નાણાકીય સહાય.

મુદ્રા લોનના લાભ

  • મુદ્રા લોન મેળવવા માટે કોઈ જામીનગીરીની જરૂર નથી.
  • લોન મેળવવાની પ્રક્રિયા સરળ અને ઝડપી છે.
  • લોનની ચુકવણી 7 વર્ષ સુધીની મુદતમાં કરી શકાય છે.
  • મુદ્રા લોન ઓછા વ્યાજ દરે ઉપલબ્ધ છે, જે નાના વ્યવસાયો માટે ખૂબ જ ફાયદાકારક છે.
  • લોન મંજૂર થયા પછી, અરજદારને મુદ્રા ડેબિટ કાર્ડ આપવામાં આવે છે, જેનો ઉપયોગ વ્યવસાયિક જરૂરિયાતો માટે કરી શકાય છે.

મુદ્રા લોન માટે પાત્રતા

  • અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ.
  • અરજદારની ઉંમર 18 થી 65 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • બિન-ખેતી વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે.
  • લોનની રકમ INR 10 લાખથી ઓછી હોવી જોઈએ.

જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (લાઈટ બિલ, રેન્ટ એગ્રીમેન્ટ)
  • વ્યવસાયિક પુરાવા (લાઇસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ)
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

મુદ્રા લોન માટે અરજી કેવી રીતે કરવી?

મુદ્રા લોન માટે તમે ઓનલાઈન અથવા ઓફલાઈન રીતે અરજી કરી શકો છો:

  1. ઓનલાઈન અરજી: સંબંધિત બેંકની વેબસાઇટ પર જઈને અરજી ફોર્મ ભરો.
  2. ઓફલાઈન અરજી: નજીકની બેંક શાખામાં જઈને અરજી ફોર્મ ભરો.

અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, બેંક તમારી અરજીની ચકાસણી કરશે અને લોન મંજૂર થયા બાદ ફંડ તમારા ખાતામાં જમા કરવામાં આવશે.

Useful Important Link

Apply To Direct LinkClick Here
Official WebsiteMore Details…
Mari Yojana Home PageClick Here

Leave a Comment